Share this on

પાવનનગરી બોચાસણ ધામ

 



પાવનનગરી બોચાસણ ધામ છે, જ્યાં સ્વામી પ્રમુખના રાજ છે
નારાયણ નામની જ્યોતિ ઝબૂકે, એ પુનિત ભૂમિ પર નાજ છે
પાવનનગરી.....

સાતસો સંતુનું વૃંદ બિરાજે, જ્યાં અખંડ સતસંગ ધારા
નાચે હૈયું ભક્તિના તાલમાં, કરે કીર્તન જ્યારે પ્રભુના પ્યારા
ધૂન જાગી નારાયણ નામની, આવે ઉરમાં ઉમંગ એવા એમના સાજ છે
પાવનનગરી......

ચિત જેનું બ્રહ્મ માં ચોટયું, આપે છે વિદ્યાયું એ દાનમાં
પ્રગટ બ્રહ્મ છે પ્રમુખસ્વામી, વસે એ તો ભક્તો ના ઘટમાં
ગમ આવે શુ એમની પાસમાં, માથે નારાયણ નામનો તાજ છે
પાવનનગરી......

વ્હાલ નીતરે છે એમની વાતમાં, અમી છલકે છે એમની આંખમાં
"જગાણી" ત્રણ ભવનમાં એ તરી ગયા, જે સમજી ગયા એમની શાનમાં
અનેક મંદિરો સંતે સર્જાવિયા, એવા એમના મંગળ કાજ છે
પાવનનગરી.......

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.